સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને રાજકોટ હોસ્પિટલ આગ કાંડ મામલે બરાબરની ઝાટકતા કહ્યું કે…

ગુજરાત
ગુજરાત

રાજકોટ ની ઉદય શિવાનંદ હોસ્પિટલ માં લાગેલી આગ ની ગંભીર નોંધ લઈ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર ની બરાબરની ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બરાબરની ઝાટકતા આગ બાદ માત્ર કમિટી બનાવવાની જ કામગીરી કરવામાં આવતી હોવાનું કહીને આકરી ટકોર કરી હતી. સુપ્રીમ કોર્ટ ના જસ્ટિસ અશોક ભૂષણ ની બેન્ચમાં આ કેસની સુનાવણી કરવામાં આવી હતી. આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર ની ઝાટકણી કાઢતા કહ્યું છે કે, ગુજરાતમાં હોસ્પિટલમાં વાંરવાર આગ લાગવાની ઘટના બની રહી છે અને તેમાં રાજ્ય સરકાર દ્વારા માત્ર કમિટી બનાવવા સિવાય કોઈ પગલાં લેવામાં આવતા નથી. જસ્ટિસ શાહે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, સરકારના રિપોર્ટ પ્રમાણે હોસ્પિટલોમાં બધુ સલામત છે.

જ્યારે હકીકત રિપોર્ટ કરતાં અલગ છે અને જે સામે આવવી ખૂબ જરૂરી છે. તમારો રિપોર્ટ તમારા ચીફ ઈલેક્ટ્રિકલ એન્જિનીયર કરતા અલગ છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે, આ મામલે ઈન્કવાયરી કમિટી બનાવવામાં આવી છે. તો જસ્ટીસ શાહે ધારદાર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, રાજકોટ મામલે કમિટી બનાવવી તે ઠીક છે પરંતુ અમદાવાદની હોસ્પિટલમાં પણ આગ લાગી હતી તે મુદ્દે શું થયું? તેમાં પણ 7 લોકોના મોત થયા હતા. તુષાર મહેતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા NDM ગાઈડ લાઈન અંતર્ગત ગઈ કાલે જ એક એફિડેવિટ દાખલ કરવામાં આવી છે. તેને લઈને જસ્ટિસ શાહે કહ્યું હતું કે, તે એફિડેટિવ અમને હજુ સુધી મળી જ નથી. જસ્ટિસ શાહે આ કેસની વધુ સુનાવણી ગુરુવારે મુલતવી રાખી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ગત સપ્તાહે એક કોવિડ હોસ્પિટલમાં ભયાનક આગ ફાટી નિકળી હતી. જેમાં પાંચ લોકોના મોત થયા હતા. સુપ્રીમ કોર્ટે આ ઘટનાને ધ્યાનમાં લઈને સુનાવણી હાથ ધરી કરી હતી. આ સાથે જ વડી અદાલતે આ પ્રકારની ઘટનાઓ રોકવા કેન્દ્ર અને રાજ્ય સરકારને મળેલી નિષ્ફળતા સામે નારાજગી વ્યક્ત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.