
રાજ્યના પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરાશે
પ્રજાસત્તાક દિવસે ભારતમાંથી પોલીસ કર્મીઓને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરશે.ત્યારે આ પોલીસ કર્મીઓના નામની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં ગુજરાતના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ દ્વારા મેડલ એનાયત કરવામાં આવશે.આ સાથે 12 પોલીસ અધિકારીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે.આમ પ્રજાસતાક દિવસે ભારતના 901 પોલીસકર્મી રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરાશે જેમા 140 વીરતા માટે પોલીસમેડલ એનાયત કરવામાં આવશે.આ ઉપરાતં 90 પોલીસ કર્મીઓને વિશિષ્ટ સેવા માટે જ્યારે પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે.જેમાં ગુજરાતમાંથી એડીજીપી અનુપમસિંહ ગેહલોત અને એટીએસના ડીએસપી કે.કે.પટેલને રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવશે,જ્યારે અન્ય 12 પોલીસ અધિકારીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે.