રો-પેક્સ ફેરી સર્વિસના ફેરા બંધ કરવામા આવ્યા
ભાવનગરને ટ્વિન સિટી સુરત સાથે જળમાર્ગે જોડતી રો-પેક્સ ફેરી સર્વિસને એક અઠવાડિયા માટે બંધ કરવામાં આવતા સુરત સાથેના જળમાર્ગે કનેક્ટીવિટીને બ્રેક લાગી ગઈ છે.આગામી રવિવાર સુધી ઘોઘાથી હજીરા અને હજીરાથી ઘોઘાની તમામ ટ્રીપોને કેન્સલ કરી દેવામાં આવી છે.જેના કારણે મુસાફરોને ફરજીયાત રોડ માર્ગે જવાની નોબત આવી છે.પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટ ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સેવાને મેઈન્ટેનન્સનું ગ્રહણ લાગ્યું છે.ફેરી સર્વિસ ઓપરેટ કરતી કંપની દ્વારા ૫૦૦ મુસાફરની ક્ષમતા ધરાવતા ૧૨ વર્ષ જૂના વોયેજ સિમ્ફની જહાજમાં રિપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવતા ૧લી ઓગસ્ટથી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસના ફેરા કેન્સલ કરવામાં આવ્યા છે.શિપ મેઈન્ટેનન્સના કારણે આ ફેરી સર્વિસ આગામી ૭મી સુધી બંધ રહેશે.જેના કારણે કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર અને એજન્ટ મારફતે ટિકિટ બુકીંગ સેવાઑને પણ બંધ કરવામાં આવી છે.આ સિવાય મુસાફરોએ ૧લી ઓગસ્ટથી ૭મી ઓગસ્ટ સુધીની ટિકિટ બુકીંગ કરાવી હતી તેઓને તેમની ટિકિટનું રિફંડ આપવામાં આવશે