રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન, ચેન્નઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું ચેન્નઈની હોસ્પિટલમાં નિધન થયું છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ફેફસાંમાં તકલીફ પડતા તેઓને રાજકોટથી ચેન્નઈ સારવાર માટે ખસેડાયા હતા. પરંતુ સારવાર દરમિયાન નિધન થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ છે.