વડગામ નજીક ટ્રકની ટક્કરે આશાસ્પદ યુવકનું મોત

ગુજરાત
ગુજરાત

કોરોના મહામારી વચ્ચે વડગામ પંથકમાં માર્ગ અકસ્માતની ઘટનામાં આશાસ્પદ યુવકનું મોત થયુ છે. આજે સવારના સમયે ખરોડીયા અને સેમોદ્રા વચ્ચે આવેલા વળાંકમાં પુરઝડપે આવી રહેલા ટ્રકની ટક્કરે અકસ્માત સર્જાયો હતો. જેમાં પસવાદળ ગામના યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થતાં પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે. ઘટનાબાદ ટ્રકચાલક નાસી છુટતાં પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાના પસવાદળ ગામના યુવકનું માર્ગ અકસ્માતની ઘટનામાં મોત થયુ છે. પસવાદળ ગામના માર્કેટિંગનો ધંધો કરતાં જીગરભાઇ ગણપતભાઇ જોષી(શ્રીમાળી) ઉ.વ.32 પોતાના ઘરેથી બાઇક લઇને પાલનપુર તરફ જઇ રહ્યા હતા. આ દરમ્યાન ખરોડિયા અને સેમોદ્રા વચ્ચે આવેલા વળાંકમાં સામેથી તરફથી આવી રહેલ ટ્રક ચાલકે ગફલતભર્યુ ડ્રાઇવિંગ કરી જીગરભાઇને ટક્કર મારી હતી. જેથી ઘટના સ્થળે જ તેમનું મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.

અનલોકમાં મળેલી છૂટને કારણે લગભગ દરરોજ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. વડગામ તાલુકાના પસવાદળના આશાસ્પદ યુવકના મોતના સમાચાર પંથકમાં ફેલાતાં પરિવારજનો સહિત ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. અકસ્માત કર્યા બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયા બાદ પાલનપુર પોલીસે ટ્રકચાલકને ઝડપી પાડ્યો હતો. પાલનપુર પોલીસના પીએસઆઇ બી.આર.પટેલ સહિતના અધિકારીઓને સ્થળ પર પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સિવીલ હોસ્પિટલ મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.