રાજ્યમાં ધોરણ 1થી 9ની સ્કૂલોમાં 31મી સુધી ઓફ લાઇન શિક્ષણ બંધ
અગાઉ રાજ્ય સરકારે કેન્દ્રના આરોગ્ય વિભાગ સાથે કોરોનાની સમીક્ષા કરી છે. તેની સાથે સાથે ગૃહ, આરોગ્ય, શિક્ષણ અને સામાન્ય વહીવટી વિભાગની પણ બેઠક મળી હતી. જ્યારે મુખ્ય સચિવ પંકજ કુમારે મ્યુનિસિપલ કમિશનરો અને કલેક્ટરો સાથે સતત બે દિવસ સુધી બેઠક યોજી હતી. આજે(7 જાન્યુઆરી) રાત્રે 12 વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂ સહિતની કોરોનાની ગાઈડલાઈન્સની સમયમર્યાદા પૂરી થઈ રહી છે. ત્યારે સરકાર આજે નવી ગાઈડલાઈન્સ જાહેર કરશે. મુખ્યમંત્રીના બંગલોએ કોર કમિટીની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં ધોરણ 1થી 8ની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવા અંગે તથા રાત્રિ કર્ફ્યૂ સહિતના નવા નિયંત્રણોની ગાઇડલાઇન અંગે નિર્ણય કરવામાં આવશે.
- લગ્ન અને સામાજિક પ્રસંગોમાં 400 લોકોની મંજૂરી
- અંતિમક્રિયામાં 100 વ્યક્તિઓને મંજૂરી
- દુકાનો 10 વાગ્યા સુધી ખુલી રહી શકશે
- રેસ્ટોરન્ટ 75 ટકા કેપેસિટી સાથે 10 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે
- હોમ ડિલિવરી 11 વાગ્યા સુધી ચાલુ રહેશે