મુંબઈ-અમદાવાદ હાઈવે પર અકસ્માતોમાં દોઢ ગણો વધારો થયો

ગુજરાત
ગુજરાત

મુંબઈ-અમદાવાદ હાઈવે પર માર્ગ અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે.જેમાં વર્સોવા બ્રિજથી વિરાર સ્થિત શિરસાડ ફાટા સુધી હાઈવે સિક્યુરિટી પોલીસના તમામ બંદોબસ્ત ફેલ સાબિત થઈ રહ્યાં છે અને લોકો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યાં છે.ત્યારે 2020માં હાઈવે પર 102 રોડ એક્સિડન્ટ થયા હતા,જેમાં 12ના મૃત્યુ થયા,જ્યારે 83 લોકો જખમી થયા હતાં.આમ 2020ની તુલનાએ 2021માં 120 માર્ગ અકસ્માતમાં 96 લોકો ઘાયલ જ્યારે 15ના મોત થયા હતાં.જેની સામે 2022માં 150 રોડ અકસ્માતમાં 92 લોકો જખમી,જ્યારે 59 લોકો મોત થયા છે.આમ વર્સોવા બ્રિજથી વિરાર શિરસાટ ફાટા વચ્ચે ટ્રાફિક નિયમોનું મોટા પાયે ઉલ્લંઘન થાય છે.જે અંગે હાઈવે પોલીસ સતત અવનવી રીતે જાગૃતિ અભિયાન ચલાવે છે.પરંતુ લોકો કંઈ માનવા તૈયાર નથી.જેમાં લોકોને અકસ્માતોની ઘટનાથી બચાવવા સોશિયલ મીડિયા દ્વારા પણ લોકો સુધી જાગૃતિ સંદેશ પહોંચાડવામાં આવે છે.આ માર્ગ પર 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર 2022 સુધીમાં 25,604 વાહનચાલકો પર કાર્યવાહી કરી રૂ.18,32,200નો દંડ વસૂલવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.