LLBના વિદ્યાર્થીઓને નહીં મળે માસ પ્રમોશન, ઓનલાઈન કે ઓફલાઈન પરીક્ષા અંગે જે તે યુનિવર્સિટીઓ નિર્ણય કરશે

ગુજરાત
ગુજરાત

LLBના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા અંગે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ મહત્વનો નિર્ણય કર્યો છે. આ મામલે હાઇકોર્ટ થયેલી PIL અને રિટ પિટિશનની સુનાવણી દરમીયાન બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ગુજરાત યુનિવર્સિટીને સ્વતંત્રપણે નિર્ણય લેવા જણાવ્યું હતું. ત્યાર બાદ આજે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ બનાવેલી એક્સપર્ટ કમિટીએ માસ પ્રમોશન આપવાને બદલે ફરજિયાત પરીક્ષા લેવા અંગે નિર્ણય લીધો છે.

જો કે ઓનલાઇન ઓફલાઇન કે ઓપન બુક એકઝામ લેવી તે અંગેનો નિર્ણય યુનિવર્સિટીઓએ પોતાના ત્યાંની પરિસ્થિતિને આધીન લેવાનો રહેશે. પરીક્ષાઓ ક્યારે અને કઈ રીતે લેવી તે અંગે ગુજરાત યુનિવર્સિટી પણ આગામી સમયમાં નિર્ણય કરશે.

તાજેતરમાં ITI અને નર્સિંગના ફાઈનલ યર સિવાયના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. આમ નર્સિંગ અને ITIની ફાઇનલયરની પરીક્ષા લેવાશે. તે સિવાયના વર્ષના નર્સિંગના વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતુ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.