
પાવાગઢ ખાતે પગપાળા સંઘમાં જતા શ્રદ્ધાળુઓને મોડી રાત્રે નડ્યો અકસ્માત, 1 નું મોત
પાવાગઢ ખાતે પગપાળા સંઘમાં જતા શ્રદ્ધાળુઓને મોડી રાત્રે અકસ્માત નડ્યો હતો. રોઝમ આગળ અજાણ્યા વાહને પગપાળા સંઘમાં જતા ત્રણ ઇસમોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં એક શ્રદ્ધાળુનુ ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું. તો બે શ્રદ્ધાળુઓની હાલત ગંભીર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નવરાત્રિ દરમિયાન અનેક શ્રદ્ધાળુઓ માતાના ધામ સુધી પગપાળા જતા હોય છે. ત્યારે ગરબાડા તાલુકાના નળવાઇ ગામેથી પાવાગઢ રથ સાથે પગપાળા સંઘ જવા નીકળ્યો હતો. આવામાં આ સંઘમાં જતા શ્રદ્ધાળુઓને મોડી રાત્રે અકસ્માત નડ્યો હતો. રોઝમ આગળ અજાણ્યા વાહને પગપાળા સંઘમાં જતા ત્રણ ઇસમોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં એક શ્રદ્ધાળુનુ ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું. તો બે શ્રદ્ધાળુઓની હાલત ગંભીર છે. આ અંગો પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. શ્રદ્ધાળુના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ લઈ જવાયા હતા. પરંતુ આ અકસ્માતને પગલે માતમ છવાયો હતો.