જૂનાગઢમાં શિવરાત્રિ મેળાને લઈ એસ.ટી દ્વારા એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી
આગામી 14 ફેબ્રુઆરી થી 19 ફેબ્રુઆરી સુધી જુનાગઢના ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આ મેળામાં લાખો ભક્તો ભાગ લેવા માટે જતા હોય છે.ત્યારે ભવનાથ તળેટી સુધી જવા ભક્તોની સુવિધા માટે ગુજરાત રાજ્ય એસ.ટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી છે.આમ ગુજરાત રાજ્ય એસ.ટી નિગમના અધિકારીના જણાવ્યા અનુસાર મહાશિવરાત્રીના મેળામાં ગિરનાર જવા માટે એક્સ્ટ્રા 200 બસો મૂકવામાં આવી છે,જ્યારે જુનાગઢ થી ગીરનાર ભવનાથ તળેટીમાં જવા માટે 56 જેટલી મીની બસો મૂકવામાં આવી છે.