અનલોકના 61 દિવસમાં લોકડાઉન કરતા અઢી ગણા વધુ કેસ નોંધાયા,
ગુજરાત : ગુજરાતમાં કોરોના મહામારીને 135 દિવસ જેટલો સમય થઇ ગયો છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે 25 માર્ચથી 31 મે સુધી 4 તબક્કામાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. લોકડાઉનના આ 68 દિવસમાં 16760 કેસ સામે આવ્યા હતા અને 1010 દર્દીના મૃત્યુ થયા હતા. લાગી રહ્યું હતું કે હવે રાજ્યમાં કોરોનાની સ્થિતિને નિયંત્રિત કરી શકાશે અને લાંબો સમય સુધી આર્થિક પ્રવૃત્તિઓ રોકી ન શકાય એ માટે રાજ્યને ધીરે-ધીરે અનલોક કરવામાં આવ્યું, પરંતુ 1 જૂનથી 31 જુલાઈ સુધીના અનલોકના 2 તબક્કામાં રાજ્યમાં કોરોના વિસ્ફોટક ગતિએ વધ્યો છે. આ 61 દિવસમાં રાજ્યમાં 44644 કેસ નોંધાયા તો 1403 દર્દીના મૃત્યુ થયા છે. એટલે કે લોકડાઉનમાં દરરોજ 246 કેસ અને 15 મોત નોંધતા હતા તો અનલોકમાં દરરોજ સરેરાશ 731 કેસ અને 23 મોત નોંધાયા છે. લોકડાઉનમાં નોંધાયેલા કેસની સરખામણીએ અનલોક 1-2માં અઢી ગણા કેસ વધુ નોંધાયા છે.