ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ નોધાયો
ગુજરાતમા ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાઈ ગયો છે. જામનગરમાં બે દિવસ પહેલા ઝિમ્બાબ્વેથી પરત ફરેલા એક શખ્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના સેમ્પલ વધુ ચકાસણી માટે પુણે લેબમાં જીનોમ સીક્વન્સિંગઅર્થે મોકલવામાં આવ્યા હતા. જે દર્દી કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. ઓમિક્રોન વેરિયન્ટનો કેસ જામનગરમાં નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. વર્તમાનમાં દર્દીને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. રાજ્યમાં સૌપ્રથમ ઓમિક્રોન વેરિયન્ટનો દર્દી મળતા ગુજરાતના આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો છે.