ગુજરાત વિધાનસભાનું સત્ર આગામી 23મીથી શરૂ થશે

ગુજરાત
ગુજરાત

વર્તમાનમાં કેન્દ્રીય બજેટ બાદ ગુજરાતનું બજેટ આગામી 23 ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે.જેમાં સરકાર બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પ્રથમ બજેટ છે.ત્યારે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાસે રહેલા વિભાગો અને મંત્રાલયો અંગેના પ્રશ્નોના જવાબો આપવાની જવાબદારી અન્ય મંત્રીઓને સોંપવામાં આવી છે.જેમાં મુખ્યમંત્રી હસ્તકના શહેરી વિકાસ વિભાગ,નર્મદા અને કલ્પસર વિભાગના પ્રશ્નોના જવાબો વિધાનસભા ગૃહમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ આપશે,મહેસુલ વિભાગના પ્રશ્નોના જવાબ કેબીનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત આપશે,જ્યારે માર્ગ અને મકાન વિભાગના પ્રશ્નોના જવાબ મંત્રી જગદીશ વિશ્વકર્મા આપશે.આ અગાઉ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વર્ષ 2023-24નું બજેટ આગામી 24મી ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે.વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા બજેટ પર 16 બેઠકમાં ચર્ચા થશે.વિધાનસભા સત્ર દરમિયાન સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજની ચર્ચા માટે પાંચ બેઠકો રાખવામાં આવી છે.આમ આગામી 24મીએ નાણામંત્રી કનુભાઇ દેસાઇ નવી સરકારનું પ્રથમ બજેટ રજુ કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.