ગીરની પ્રખ્યાત કેસર કેરીની પ્રથમવાર દરિયાઈ માર્ગે નિકાસ, 14 ટન કેરી મુન્દ્રા પોર્ટથી ઈટાલી પહોંચશે

ગુજરાત
ગુજરાત

ગીરની કેસર કેરીની સોડમ ગુજરાત અને ભારત સિવાય વિશ્વના અનેક દેશો સુધી ફેલાયેલી છે.આમ કોરોના મહામારી વચ્ચે પણ ચાલુ વર્ષે ઈટાલી સહિતના યુરોપિયન દેશોમાં 100 ટન કેસર કેરીની નિકાસ થવાનો અંદાજ છે.ત્યારે તાલાલા ગીરથી 14 ટન કેસર કેરીની ઈટાલીમાં નિકાસ કરવામા આવી છે.જે મુન્દ્રા બંદરેથી દરિયાઈ માર્ગે કેસર કેરીનું કન્ટેઈનર 25 દિવસ બાદ ઈટાલી પહોંચશે.આમ ગીરની કેસર કેરીની અમેરિકા અને જાપાનમાં માંગ વધુ હોય છે.પરંતુ કોરોના મહામારીના કારણે ટેક્નિકલ કારણોસર આ દેશોમાં કેરીની નિકાસ થઈ શકી નથી.ત્યારે ઈટાલીમાં મોકલાયેલી કેરી ત્યાંના લોકોને પસંદ પડતા માંગ વધી છે.જેથી 10 દિવસ બાદ બીજું કન્ટેઈનર મોકલવાની પણ તૈયારી કરાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.