ગૌશાળા, પાંજરાપોળના પશુઓ માટે બે મહિના પશુ દિઠ રૂ. રપ દૈનિક સહાય
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરને પરિણામે સર્જાયેલી સ્થિતીને કારણે રાજ્યના મૂંગા-અબોલ પશુજીવોને ઘાસચારો-પશુ આહાર મેળવવામાં મુશ્કેલી ન પડે તેવી સંવેદના સાથે રાજ્યની રજિસ્ટર્ડ ગૌશાળા, પાંજરાપોળના નોંધાયેલાપશુઓ માટે પશુદિઠ દૈનિક રૂ. રપ સહાય રાજ્ય સરકાર તરફથી આપવાનો ર્નિણય કર્યો છે. રાજ્યની રજિસ્ટર્ડ ગૌશાળા, પાંજરાપોળના આશરે ૪.૫૦ લાખ જેટલા પશુઓ માટે જૂન-જુલાઇ એમ બે મહિના સુધી શુદિઠ રોજના રૂ. રપની સહાય રાજ્ય સરકાર આપશે તેવો ર્નિણય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતીમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો. આ સહાય આપવાને પરિણામે રાજ્ય સરકાર અંદાજે રૂ.૭૦ કરોડનો વધારાનો બોજ વહન કરશે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે
કોરોનાની પહેલી લહેર દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ આવી રૂ. રપની દૈનિક પશુ સહાય એપ્રિલ-૨૦૨૦ અને મે-૨૦૨૦ માં પણ પાંજરાપોળ ગૌશાળાઓ માટે જાહેર કરેલી હતી.