રાજ્યમાં કમોસમી વરસાદે વધારી ખેડૂતોની ચિંતા
રાજ્યમાં કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોએ સાવચેત રહેવા હવામાન વિભાગ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. ગાંધીનગર અને અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
જેને લઇને ખેડૂતોને સાવચેત રહેવા સૂચન કરવામાં આવ્યું છે. જો કે આ વચ્ચે રાજ્યનાં સાત તાલુકામાં કમોસમી વરસાદે લોકોની ચિંતામાં વધારો કર્યો છે. જેમા ધાનેરા, અબડાસા, ડીસા, ખંભાળીયા, લાખણી અને ભાભર છે. વળી અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતા અને તેમા પણ Visibility ઓછી હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદમાં પંચવટી, જોધપુર, નહેરુનગર સહિત પૂર્વ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. વરસાદનાં કારણે તમામ રસ્તાઓ ભીના થઇ ગયા છે. વળી આ કમોસમી વરસાદનાં કારણે રવિપાકને પણ ભારે નુકસાન થઇ રહ્યુ છે. ઉપરાંત હવામાન વિભાગની આગાહી છે કે, હજુ પણ આગામી સમયમાં વરસાદ પડશે.
હવામાન વિભાગ દ્વારા ખેડૂતોને ખાસ સાવચેતી રાખવા કહેવાયુ છે અને ગોડાઉનમાં ખુલ્લો પડેલો માલ પલળી ન જાય તેનુ ખાસ ધ્યાન રાખવા જણાવ્યું છે.