વેરાવળના દરિયાકિનારાથી 380 કિલોમીટર દૂર ડિપ્રેશન થયું સક્રિય, રાજ્યના અનેક વિસ્તારોમાં છવાયો વરસાદી માહોલ

ગુજરાત
ગુજરાત

આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે વેરાવળના દરિયાકિનારાથી 380 કિલોમીટર દૂર ડિપ્રેશન સક્રિય છે. અમદાવાદ તેમજ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. તંત્રએ સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.

મોરબીના હળવદ પંથકમાં વરસાદ વરસાદી માહોલ જોવા મળ્યો. ભારે પવન સાથે ધીમીધારે વરસાદ વરસ્યો હતો.વહેલી સવારથી ભારે બફારા બાદ બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો..વરસાદી માહોલે ખેડૂતોની ચિંતા વધારી છે.

ડભોઈના ચાંદોદ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ચાંદોદ નગર અને પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા..નવરાત્રિ પર્વના પ્રારંભે જ મેઘરાજાની સવારી આવી પહોંચી..હવામાન ખાતાની આગાહી અનુસાર જ વરસાદનું આગમન થયું છે.. છેલ્લા કેટલાક દિવસથી બફારા અને ઉકળાટ ભર્યા વાતાવરણથી લોકોને આંશિક રાહત મળી છે.

દાહોદના વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ વરસાદ વરસ્યો. વરસાદને લીધે રોડ રસ્તા પાણી પાણી થયા તો વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.

મહીસાગરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. વાવાઝોડા અને ગાજવીજ સાથે ખાબકેલા ધોધમાર વરસાદને પગલે અનેક વૃક્ષો ધરાશાયી થયા. વૃક્ષો તૂટી પડવાને લીધે જીલ્લાના મોટાભાગના રસ્તાઓ બંધ થયા. સંતરામપુર લુણાવાડા સાથે જ અમદાવાદને જોડતા હાઇવે પર ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા રસ્તો બંધ કરવાની ફરજ પડી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.