વર્તમાનમાં મોરબી બ્રિજ દુર્ઘટનાના આરોપીઓની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી
મોરબી બ્રિજ અકસ્માતમાં 7 આરોપીઓએ કરેલી જામીન અરજી વર્તમાનમાં કોર્ટે નામંજૂર કરી દીધી છે.આ અગાઉ ઝડપાયેલા 9 પૈકી 7 આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરી હતી.ત્યારે આ અરજી પર આજે કોર્ટમાં દલીલો થઈ હતી.આ અગાઉ પોલીસે જયસુખ પટેલને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગણી કરી હતી.જેમાં પોલીસ દ્વારા જયસુખ પટેલના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા ત્યારે કોર્ટ દ્વારા જયસુખ પટેલના તા.8 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.આમ વર્તમાનમાં જયસુખ પટેલ જેલમાં બંધ છે.આમ ગુજરાત સહિત ભારત અને વિશ્વને હમચાવી નાખનાર મોરબી બ્રિજ તૂટવાની ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 56 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.