
વર્તમાનમાં અમદાવાદ આવતી-જતી 8 ટ્રેનોને રદ કરવામાં આવી
પશ્ચિમ રેલવેએ આગામી 21મી ફેબ્રુઆરી સુધી જગુદણ-મહેસાણા વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી શરૂ કરી છે.જેને પગલે આ રૂટ પર આવતી-જતી 14 જેટલી ટ્રેનોને રદ કરવાનો નિર્ણય કર્યો છે.જેમાં અમદાવાદ આવતી-જતી 8 ટ્રેનોનો સમાવેશ થાય છે.જ્યારે સાબરમતી-મહેસાણા સહિત સાબરમતી-જોધપુર,મહેસાણા-વિરમગામ સહિતની ટ્રેનો રદ કરવામાં આવી છે.જ્યારે આ ટ્રેનો રદ કરવામાં આવી છે.સાબરમતી-મહેસાણા,મહેસાણા-સાબરમતી,વિરમગામ-મહેસાણા,મહેસાણા-વિરમગામ,સાબરમતી-પાટણ, પાટણ-સાબરમતી,જોધપુર-સાબરમતી,સાબરમતી-જોધપુર છે.