દેશમાં ઓમિક્રોન વોરિયન્ટના પ્રવેશથી સુરત સિવિલ તંત્ર એલર્ટ બન્યું

ગુજરાત
ગુજરાત

વિશ્વમાં ઓમિક્રોન વેરિયન્ટનો ભારતમાં પ્રવેશ થયા પછી જામનગરમાં શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર એલર્ટ થઇ ગયુ છે. સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકરે કહ્યુ હતું કે ઓમિક્રોન વેરિયન્ટના લીધે કોરોના નોડલ ઓફિસર ડો.અશ્વિન વસાવા સહિતના સિનિયર ડોકટરો સાથે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તાકીદે સિવિલની સ્ટેમસેલ બિલ્ડિંગના ત્રીજા અને દસમાં માળે 83 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્યાં વેન્ટિલેટર સહિત જરૂરી સાધનો ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સિવિલની વિવિધ બિલ્ડીંગમાં કોરોનાનાં 3000થી વધુ દર્દીઓને સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વર્તમાનમાં સ્ટેમસેલ બિલ્ડિંગમાં કોરોનાના 6 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જ્યાં 12 રેસિડન્ટ ડોક્ટર,2 કન્સલટન્ટ,2 ફેકલ્ટી,5 ઇન્ટર્ન ડોક્ટર,22 નર્સ સ્ટાફ,25 થી 30 સર્વન્ટ ફરજ બજાવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.