કોંગેસના નેતા ભરતસિંહ સોલંકીની તબિયત વધુ નાજૂક, ૨ દિવસથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા.
રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ૨૨ જૂનના રોજ કોંગ્રેસના અગ્રણી નેતા ભરતસિંહ સોલંકીનો કોરના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વડોદરાની ખાનગી હોસ્પિટલ બાદ તેમને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે ૭ જુલાઇથી તેમની તબિયત વધુ બગડી છે, તેમનું ઓક્સિજનનું લેવલ ઘટી ગયું છે. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત વધુ નાજૂક છે અને ડોક્ટર સતત તેમની તબિયતમાં સુધારો આવે એ માટેના પ્રયાસો કરી રહ્યાં છે.
૨૨ જૂનના રોજ ભરતસિંહ સોલંકીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયત બગડતા તેમને ૩૦મી જૂનના રોજ અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છેકે ૧૯ જૂને યોજાયેલી ચૂંટણીના દિવસે તેઓ અંદાજે ૨૦૦ લોકો અને તે પૂર્વે થોડા દિવસ દરમિયાન ભરતસિંહ અન્ય કેટલાંક લોકોના સીધા સંપર્કમાં આવ્યા હતા.