કોંગ્રેસની કમીટી રાજકોટમા 8 બેઠકોના દાવેદારોને સાંભળશે
વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.જેમાં 182 બેઠકો માટે 900થી વધુ આગેવાનોએ દાવેદારી કર્યા વચ્ચે દાવેદારોને રૂબરૂ સાંભળવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.જેમાં દાવેદારોને સાંભળવા માટે જુદી-જુદી કમીટીઓ બનાવવામાં આવી છે.ત્યારે દરેક કમીટીને 3-3 જીલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.જેમાં ઉમેદવારોની ફાઈનલ પસંદગી પુર્વે સ્ક્રીનીંગ કમીટીમાં 3-3 નામોની પેનલ બનાવવામાં આવશે.ત્યારે રાજકોટ જીલ્લાની પાંચ બેઠકોના દાવેદારોને રૂબરૂ સાંભળવા વિપક્ષી નેતા સુખરામ રાઠવા,રામકિશન ઓઝાની કમીટી આગામી 23મીએ રાજકોટ ખાતે આવશે જ્યાં નાગર બોર્ડીંગ ખાતે સવારથી પ્રક્રિયા શરૂ થશે.