આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટમાં મતદાન કરશે

ગુજરાત
ગુજરાત

તબીયત સુધારા પર, હજુ હોસ્પિટલમાંથી રજા નહિ મળે, આવતીકાલે મતદાન કરીને પરત હોસ્પિટલ જશે

આવતીકાલ 21 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન કરવા રાજકોટ આવશે. સોમવારે કોરોના પોઝિટિવ થયા બાદ તેઓ સારવાર હેઠળ હતા જ્યારે આવતીકાલે સાંજે ૫ થી ૬ ની વચ્ચે કોરોના પોઝિટિવ દર્દીના પ્રોટોકોલ મુજબ PPE કીટ પહેરી તેમના મતદાન મથક અનિલ જ્ઞાન મંદિરે મતદાન કરવા આવશે. હાલ તેમની તબિયત સુધારા પર છે પરંતુ હજુ હોસ્પિટલમાંથી રજા નહિ મળે અને આવતીકાલે પણ મતદાન કર્યા બાદ તેઓ પરત હોસ્પિટલમાં એડમીત થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.