ગુજરાતમાં કોરોનાના ૭૨૫ કેસ નોંધાયા : ૧૮ લોકોના મોત
અમદાવાદ : રાજ્યમાં સતત બીજા દિવસે કોરોના પોઝીટીવનો આંકડો ૭૦૦ને પાર થયો. આજે રાજ્યમાં કોરોનાના ૭૨૫ નવા કેસો ૨૪ કલાકમાં નોંધાતા કુલ સંક્રમીતનો આંકડો ૩૬૧૨૩ પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે ૨૪ કલાકમાં વધુ ૧૮ દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક ૧૯૪૫ થયો છે. રાજ્યમાં આજે ૪૮૬ દર્દીઓ ડીસ્ચાર્જ થયા. આ સાથે ૨૫૯૦૦ દર્દીઓ કુલ અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ થયા. આ સાથે ૨૫૯૦૦ દર્દીઓ કુલ અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ થયા. રાજ્યમાં ૭૨ વ્યક્તઓ વેન્ટીલેટર પર છે અને ૮૨૭૮ કુલ એક્ટીવ કેસ આજની સ્થતિએ છે. રાજ્યમાં સતત બીજા દિવસે કોરોના પોઝીટીવના કેસ ૭૦૦ને પાર થતા કુલ સંક્રમીતના આંકડાનું મીટર પણ ઝડપથી ફરવા માંડ્યું છે. ગઈકાલે કોરોનાથી કુલ સંક્રમીતનો આંકડો ૩૫ હજારને પાર થયો હતા.