આણંદમાં રવિ પાકના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા
સરકાર દ્વારા રવિ પાક ખરીદીના ટકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે.ત્યારે તેની ખરીદી આગામી માર્ચ મહિનાથી શરૂ થશે તે માટે ખેડૂતોએ જરૂરી આધાર પુરાવા સાથે ગ્રામ્ય કક્ષાએ નાફેડના ઇ-સમૃધ્ધિ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.જેમાં સરકારે ટેકાના ભાવ જાહેર કરવાથી રવિ સિઝનનો પાકનો વ્યાપરીઓની સિન્ડિકેટ કરી નીચા ભાવે ખરીદ કરવાની શક્યતાઓ નહિવત રહેશે,જ્યારે સરકારી રજિસ્ટ્રેશન કરાવવાથી ખેડૂતને તેના પાક અને મહેનતનું ઉચ્ચતમ મૂલ્ય મળી રહેશે તે જણાઈ રહ્યુ છે.આણંદ જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યુ હતું કે કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ રવિ 2022-23માં પ્રાઈઝ સપોર્ટ સ્ક્રીમ હેઠળ ટેકાના ભાવે તુવેર,ચણા અને રાયડાની ખરીદી આગામી 10 માર્ચ 2023ના રોજથી શરૂ કરવામાં આવનાર છે.જે અન્વયે 2022-23ના વર્ષ માટે પ્રતિ ક્વિન્ટલ દિઠ તુવેર માટે રૂ.6600,ચણા માટે રૂ.5335 અને રાયડા માટે રૂ.5450 એમ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.