નવરાત્રિ પર અંબાજી ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા દર્શનના સમયમાં કરાયો વધારો

ગુજરાત
ગુજરાત

નવરાત્રિ પર અંબાજી ખાતે સેંકડો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગને લઈને મંદિર ટ્રસ્ટે મહત્વનો નિર્ણય લીધો છે. મંદિર ટ્રસ્ટે હવે મંદિરમાં શ્રદ્ધાળુઓના દર્શનનો સમય વધાર્યો છે. રાતે 11 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન કરી શકશે. અંબાજીમા ભક્તોના ધસારાને લઈ કલેકટર સાથે ચર્ચા બાદ વહીવટદારોએ નિર્ણય લીધો છે..ભક્તોના ધસારાને લઈ વધારાની રેલિંગ નખાઈ છે.

સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ભક્તો રેલિંગમાંથી પસાર થશે. ગઈકાલે ભક્તોના ઘોડાપુરને લઈ સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું.જે અંગેનો જીએસટીવીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો. અંબાજીમાં ભક્તોના ઘોડાપુરને લઇ ગઇકાલે બે કિલોમીટર લાંબી કતારો લાગી હતી..જે અંગે જીએસટીવીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો. ત્યારબાદ આજે સફાળા જાગેલા તંત્રએ વધારાની રેલિંગ નાખવાનો નિર્ણય લીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.