યાત્રાધામ અંબાજી ખાતે દુર્ગાઅષ્ટમી નિમિત્તે માઇભક્તો માતાજીના દર્શન માટે ઉમટ્યાં

ગુજરાત
ગુજરાત

યાત્રાધામ અંબાજી ખાતે દુર્ગાઅષ્ટમી નિમિત્તે મોટી સંખ્યામાં માઇભક્તો માતાજીના દર્શને આવી રહ્યા છે. નવરાત્રિના તહેવારમાં દુર્ગાઅષ્ટમીના દિવસે અંબાજી મંદિરમાં યજ્ઞનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં દાંતા સ્ટેટના રાજવી પરિવાર દ્વારા બુધવાર સવારે માતાજીના મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ અષ્ટમીના હવન માઇભક્તોના દર્શન માટે ચાલુ રહેશે. આજે સાંજે દુર્ગા અષ્ટમીના હવનની પૂર્ણાહીતી દાંતા સ્ટેટના રાજવી પરિવાર દ્વારા કરવામાં આવશે. આમ આ બાબતે ભટ્ટજી મહારાજે જણાવ્યું હતું કે આસો મહિનાની નવરાત્રિ જે નવરાત્રી કહેવાય છે. આ મંદિરના ચાચરચોકમા નવરાત્રિમાં અષ્ટમીનો હવન હોય છે. જેનો લાભ તમામ ભક્તો લઈ રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.