આગામી સમયથી અટલ બ્રિજની ટિકિટ ઓનલાઈન મળી શકશે
અમદાવાદ શહેરની શાનમાં વધારો કરતુ અને શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા અટલ ફુટ ઓવર બ્રિજ 27 ઓગસ્ટના 2022ના રોજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.ત્યારે તંત્ર દ્વારા ગત જાન્યુઆરી 2023થી ઓનલાઈન બુકિંગનો પ્રારંભ કરાવ્યો હતો.જે નિર્ણયના કારણે લોકો ઘરેબેઠા ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકે છે.આ ઉપરાંત રિવરફ્રન્ટના તમામ પાર્કની સાથે અટલબ્રિજની ટિકિટ પણ નાગરિકો પોતાના ઘરેથી ઓનલાઈન બુક કરાવી શકે છે.જેમાં અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા અટલબ્રિજ માટે એક ક્યૂઆર કોડ તૈયાર કરવામાં આવ્યો છે,જેને સ્કેન કરીને નાગરિકો પોતાની ટિકિટ ઓનલાઈન બુક કરાવી શકે છે.ત્યારે આ વેબસાઈટ પરથી નાગરિકો અટલબ્રિજ તેમજ ફલાવર પાર્ક આ બંનેની કોમ્બો ટિકિટ બુક કરી શકે છે.જ્યારે રાતના સાડા 8 વાગ્યા બાદ ઓનલાઈન ટિકિટનુ બુકિંગ બંધ થઈ જાય છે. ત્યારે નાગરિકો તેમના મોબાઈલ ફોન અને ઈ-મેઈલ દ્વારા પણ ઈ-ટિકિટ મેળવી શકે છે.