આગામી સમયમાં સ્મૃતિવન ખુલ્લુ મુકવામાં આવશે
ભુજના ભુજીયા ડુંગર પર વડાપ્રધાન દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ સ્મૃતિવન આગામી ૨૩ સપ્ટેમ્બરાથી જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવી રહ્યું છે.ત્યારે આ આકર્ષણને જોવા માટે પ્રજાએ ફી ચુકવવી પડશે.આ સ્મૃતિવનમાં જોવાલાયક ઘણા આકર્ષણો છે.જેમાં અર્થક્વેક મ્યુઝીયમની ટિકીટના દર રૂ.૩૦૦ રાખવામા આવ્યા છે.જેમાં બાળકો માટે રૂ.૧૦૦ અને પાંચ વર્ષથી નીચેના બાળકો માટે વિનામૂલ્યે છે.આ સિવાય કોલેજના વિદ્યાર્થીઓ માટે ટિકીટનો દર રૂ.૧૫૦ છે.જેની માટે તેઓએ કોલેજનું આઈ.ડી પ્રુફ સાથે લઈ જવાનું રહેશે.સ્મૃતિવનની પ્રવેશ ફી રૂ.૨૦ રાખવામાં આવી છે.પરંતુ સવારે મોર્નિંગ વોક કરનારા લોકો માટે સવારે ૫ થી ૯ સુધી વિનામૂલ્યે પ્રવેશ મળી શકશે.પાર્કિંગ કરવા માટે લોકોએ નિયત કરેલ ફી ચુકવવી પડશે. ઉનાળામાં તા.૧૬ માર્ચ થી ૧૫ સપ્ટેમ્બર સુધી સ્મૃતિવનનો સમય સવારે ૧૦ થી બપોરે ૨ તેમજ સાંજે ૪ થી ૮ નો રહેશે.જ્યારે શિયાળામાં તા.૧૬ સપ્ટેમ્બર થી ૧૫ માર્ચ સુધી સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધીનો રહેશે.