19 જૂને ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી
ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાશે. સવારે 9 થી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે. ત્યાર બાદ સાંજે 5 વાગ્યે મતગણતરી યોજાશે. આ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ ઉમેદવારી કરી છે જ્યારે ભાજપ વતી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીને ઉમેદવારી કરી છે.
આ પહેલા રાજ્યસભા ચૂંટણી 26 માર્ચ 2020ના રોજ યોજાવાની હતી. પરંતુ કોરોનાને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. રાજ્યસભા ચૂંટણી જાહેર થયા બાદ 15 માર્ચે કોંગ્રેસના પાંચ ધારાસભ્ય એવા પ્રવીણ મારૂ, મંગળ ગાવિત, જે.વી.કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા અને સોમા ગાંડા પટેલે રાજીનામા આપ્યા હતા. હાલ કોંગ્રેસનું વિધાનસભામાં 68નું સંખ્યાબળ છે, જ્યારે ભાજપનું સંખ્યાબળ 103 છે.