લોકડાઉન-૪ના ચાર દિવસમાં રાજ્યમાં જનજીવન થાળે પડ્યું : રૂપાણી
અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકડાઉન-૪ના અમલમાં કેટલીક શરતોને આધિન આપેલી છૂટછાટોને પગલે જનજીવન પૂર્વવત થવા લાગ્યું છે. કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં વેપાર-ઊદ્યોગ, ખાનગી ઓફિસો, ધંધા-રોજગાર ફરીથી ધબકતા થવા લાગ્યા છે. એટલું જ નહિ, નાગરિકોએ સ્વયં શિસ્ત જાળવીને, સોશિયલ ડિસ્ટન્સીં ગ, ફરજીયાત માસ્ક, ભીડભાડ ન કરવા સહિતના નિયમો સાથે રોજીંદી પ્રવૃત્તિઓ પણ શરૂ કરી દીધી છે.