ગોધરાના ૭૮ વર્ષના વૃદ્ધનું કોરોના વાઈરસથી વડોદરાની ખાનગી હોસ્પિટલમાં મોત

ગુજરાત
ગુજરાત

ગોધરાના ૭૮ વર્ષીય વૃદ્ધનું ગુરૂવારે મોડી રાત્રે વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં કોરોના વાઈરસથી મોત થયું છે. બે દિવસ પહેલાં જ આ વૃદ્ધનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અને તેઓ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. વડોદરા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવતે વૃદ્ધના મોતનું પુષ્ટી કરી છે.
 
ગુરૂવારે શ્રીલંકાથી આવેલા પુરૂષનું કોરોના વાઈરસથી મોત થયું હતુ. વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ૫૨ વર્ષીય પુરૂષનું ગુરૂવારે કોરોના વાઈરસની બીમારીથી મોત નીપજ્યું હતું. મૃતકની પત્ની, પુત્ર, પુત્રવધુ અને દીકરી તમામને કોરોના વાઈરસ પોઝિટિવ છે અને તમામની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વડોદરા શહેરમાં અત્યાર સુધી કોરોના વાઈરસના ૯ કેસ પોઝિટિવ આવ્યા છે. જે પૈકી એક વ્યક્તિને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.