
તમારી સુંદર યાદો અને પ્રેમ માટે આભાર : આયુષ્માન
મુંબઈ, આયુષ્માન ખુરાનાના પિતા પી. ખુરાનાનું ૧૯ મેના રોજ નિધન થયું હતું, ત્યારબાદ અભિનેતા આયુષ્માન ખુરાનાએ હવે સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે. પિતાના મૃત્યુના શોકમાં ડૂબેલા આયુષ્માને તેના પિતાને યાદ કરીને ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટ લખી હતી. પ્રાર્થના સભાની કેટલીક તસવીરો પણ શેર કરી છે.
આ તસવીરોમાં આયુષ્માન ખુરાના ભાઈ અપારશક્તિ સાથે રડતી માતાને સંભાળતા જોવા મળે છે. તે જાણીતું છે કે આયુષ્માન ખુરાનાના પિતા પી. ખુરાના જાણીતા જ્યોતિષ હતા. તેમણે આ ક્ષેત્રમાં લગભગ ૩૪ પુસ્તકો લખ્યા અને ઘણી ખ્યાતિ મેળવી. પી. ખુરાનાને પણ વાસ્તુશાસ્ત્રનું સારું જ્ઞાન હતું. તેઓ છેલ્લા ઘણા સમયથી હૃદયની બિમારીથી પીડિત હતા અને છેલ્લા કેટલાક દિવસોથી મોહાલીની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા તેમનું મૃત્યુ ૧૯ મેના રોજ થયુ હતુ. આયુષ્માને ઈન્સ્ટાગ્રામ પર તસવીરો સાથેની એક નોટમાં લખ્યું, માતાનું ધ્યાન રાખવાનું છે અને હંમેશા સાથે રહેવાનું છે. પિતા જેવા બનવા માટે પિતાથી ખૂબ દૂર જવુ પડતુ હોય છે.
પહેલીવાર એવું અનુભવાય છે કે પપ્પા આપણાથી ઘણા દૂર અને ખૂબ નજીક છે. તમે આપેલી સુંદર યાદો અને પ્રેમ માટે અને તમે જે રીતે અમને ઉછેર્યા તે માટે પાપા તમારો આભાર. જય જય આયુષ્માનની આ પોસ્ટ પર અર્જુન કપૂરથી લઈને મૌની રોય, દિયા મિર્ઝા, હુમા કરશી, નેહા ધૂપિયા, મનીષ પૉલ, સુનીલ ગ્રોવર અને મુકેશ છાબરા સહિત ઘણા સેલેબ્સે સંવેદના વ્યક્ત કરી હતી હતી.
તેણે આયુષ્માન ખુરાનાને પ્રોત્સાહન આપ્યું અને હિંમત આપી. આયુષ્માન ખુરાનાના પિતા હૃદયની બિમારીથી પીડિત હતા અને થોડા દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. પરંતુ તેમની તબિયતમાં સુધારો ન થતાં તેમણે ૭૨ વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું.