તેલુગુ ડબિંગ કલાકાર એ.શ્રીનિવાસ મુર્તિનું નિધન થયું
વર્તમાનમાં જાણીતા ડબિંગ આર્ટિસ્ટ એ.શ્રીનિવાસ મૂર્તિનું હાર્ટએટેકના કારણે નિધન થયું છે.શ્રીનિવાસ મૂર્તિની શરૂઆત 1990ના દાયકામાં થઈ હતી.અર્જુન સ્ટારર ઓકે ઓક્કાડુ તેના માટે બ્રેકઆઉટ ફિલ્મ હતી.જેમાં મૂર્તિએ ફિલ્મ વિક્રમ,તમિલ સુપરસ્ટાર અજિત વગેરે માટે પણ ડબિંગ કર્યું હતું.આમ ફિલ્મ ઉદ્યોગનો મહત્વનો હિસ્સો હોવાછતા ડબિંગ કલાકારો પડદા પાછળ રહીને કામ કરતા હોવાથી તેઓનું ધ્યાન પડતું નથી.જેમાં શ્રીનિવાસ મૂર્તિનો અવાજ સુર્યાના પાત્રો સાથે એટલો ગાઢ રીતે સંકળાયેલો હતો કે તેમની એક ફિલ્મ જોતી વખતે અન્ય અભિનેતાનો અવાજ સાંભળીને શરૂઆતમાં કંટાળો આવે.બેસ્ટ મેલ ડબિંગ કલાકારનો એવોર્ડ જીતનારા એ.શ્રીનિવાસ મૂર્તિને તેલુગુ ડબિંગનો રાજા માનવામાં આવતા હતા.તેમની પાસે 1 હજારથી વધુ ફિલ્મો હતી અને તેઓ હોલીવુડ તેમજ બોલિવૂડની ફિલ્મોને તેલુગુમાં અનુવાદિત કરવામાં વિશેષતા ધરાવતા હતા.આ સિવાય ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ફ્રેન્ચાઈઝીમાં કામ માટે જાણીતા હતા અને તેમણે શાહરૂખ ખાન અને સલમાન ખાન જેવા સુપરસ્ટાર્સને પોતાનો અવાજ આપ્યો હતો. તેમની કળા પ્રત્યેની તેમની મહેનત અને સમર્પણને તેલુગુ ફિલ્મ સિવાય તેમના કામ માટે 1998માં શ્રેષ્ઠ મેલ ડબિંગ આર્ટિસ્ટ માટે નંદી એવોર્ડ સહિત અનેક પુરસ્કારો મળ્યા હતા.