સુશાંતના મોત બાદ કરણ એકદમ તૂટી ગયો, અનન્યા પાંડેને આત્મહત્યા કરવા કહેવાય છે
મુંબઈ,
બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં અવસાન પછી ફિલ્મ નિર્માતા કરણ જાહરને સતત તેમના ચાહકો દ્વારા નિશાન બનાવવામાં આવ્યાં હતાં. સુશાંત સિંહના ચાહકો સતત કરણ જાહર પર આરોપ લગાવી રહ્યા હતા કે તેણે એવી સ્થતિ ઉભી કરી કે સુશાંતને આટલું મોટું પગલું ભરવું પડ્યું. ફેન્સ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ટ્રાયલથી કરણ જાહર ખૂબ જ દુઃખી છે. તેના એક નજીકના મિત્રએ વાત કરતા આ વાતનો ખુલાસો કર્યો છે. તેના મિત્રએ, કરણ એકદમ તૂટી ગયો છે. ઘણા વર્ષો સુધી સતત ટ્રોલ થયા પછી, તેણે વિચાર્યું કે હવે તે ખૂબ જ મજબૂત બની ગયો છે. પરંતુ એવું નથી. સુશાંતના મૃત્યુ પછી, તેના વિશે જે નફરત ફેલાઈ રહી છે તે સ્વીકારવું તેમના માટે ખૂબ મુશ્કેલ બની છે, સુશાંતના મોતથી તે તૂટી ગયો છે.
તેના મિત્રએ કે કરણ પણ નારાજ છે કે તેના નજીકના લોકોને પણ આ પ્રકારની નફરતનો સામનો કરવો પડી રહ્યો છે. મિત્રએ, ‘કરણ અને તેના નજીકના મિત્રોને સતત ધમકીઓ મળી રહી છે. તેના ત્રણ વર્ષના ટ્વન્સને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. સુશાંત સાથે કંઈ લેવા-દેવા ન કરનાર અનન્યા પાંડેને આત્મહત્યા કરવાનું કહેવામાં આવી છે જેથી સુશાંતની મોતની ભરપાઇ કરી શકાય.
સુશાંત સિંહ રાજપૂતે ૧૪ જૂને મુંબઇના બાંદ્રા સ્થત તેના ફ્લેટ પર ફાંસી લગાવી દીધી હતી. ત્યારબાદથી સતત એવું કહેવામાં આવી છે કે સુશાંત સિંહને ઇન્ડસ્ટ્રીતરફથી બહિષ્કાર કરવામાં આવી રહ્યો હતો અને તેની સામે એવું વાતાવરણ ઉભું કરવામાં આવી હતુ. આને કારણે તેના હાથના ઘણા મોટા પ્રોજેક્ટ પણ ગયા હતા. કામ કરવામાં અસમર્થ, સુશાંત ડિપ્રેશનમાં જતો રહ્યો. જાકે, પોલીસ આ મામલે હાલ તપાસ કરી રહી છે. પરંતુ આ બધા ઇન્ડસ્ટ્રીમાં થઇ રહેલા નેપોટિઝમને પણ જવાબદાર માનવામાં આવે છે.