તો હવે આ અભિનેત્રીએ તનિષ્ક એડને લઇને આપ્યું એવું નિવેદને કે…’મારી લાઇફ પણ તનિષ્કની એડ જેવી જ છે.’

ફિલ્મી દુનિયા

થોડા દિવસો પહેલા તનિષ્કના એક એડ દ્વારા સમગ્ર દેશમાં હંગામો મચી ગયો હતો. હિન્દુ મુસ્લિમની એકતા બતાવી રહેલી એડ સોશિયલ મીડિયા પર ખોટા કારણોથી વાયરલ થઇ રહી છે. જેને લઇને દાવો કરવામાં આવવા લાગ્યો કે એડ દ્વારા લવ જેહાદને વધારવામાં આવી રહ્યું છે. એવું પણ કહેવામાં આવ્યું કે આ એડ દ્વારા હિન્દુ ધર્મનું અપમાન કરવામાં આવ્યું છે. આ કારણથી તનિષ્કે તે એડ પણ હટાવી દીધી. પરંતુ હવે ઋચા ચડ્ડાએ મોટું નિવેદન આપ્યું છે.

ઋચાએ તેની લવ લાઇફની તુલના તનિષ્કના વિવાદિત એડ સાથે કરી છે. તેની નજરે તે અલી ફઝલને ખૂબ પ્રેમ કરે છે અને તેને પણ તેના પરિવાર તરફથી પ્રેમ અને આદર મળે છે. એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન તે કહે છે – મારું જીવન એ એડની જેમ છે. મને અલીના પરિવાર તરફથી ઘણો પ્રેમ મળ્યો છે, અમારા પરિવારે પણ તેને ઘણો પ્રેમ આપ્યો છે. હું તે લોકો માટે દુ:ખ અનુભવું છું જેને કોઇના લગ્નના નિર્ણયથી પણ તકલીફ થઇ રહી છે. હવે ઋચાએ નામ લીધા વગર એવા શખ્સ પર નિશાન સાધ્યું છે કે જેને એક એડની આડમાં દેશના માહોલને ખરાબ કરવાની કોશિશ કરી હતી તેનું ઉદાહરણ આપી તેણે આ સાબિત કરવાની કોશિશ કરી છે કે ધર્મ ભલે કોઇપણ કેમ ન હોય, પ્રેમ હંમેશા સૌથી મોટો હોય છે. જોકે, લાંબા સમયથી આ બન્નેની જોડી બોલિવૂડમાં ચર્ચામાં છે. પહેલા એવી ખબર આવી રહી હતી કે ઋચા અને અલી આ વર્ષે એપ્રિલમાં લગ્ન કરી લેશે. પરંતુ કોરોના મહામારીએ તેમના આ પ્લાનને પોસ્ટપોન કરવા મજબૂર કરી દીધા, અત્યાર સુધી નવી તારીખ જાહેર કરી નથી.

આ સાથે જ ઋચાએ અલી સાથેના તેના સંબંધો વિશે સુંદર વાત પણ કરી છે. તે કહે છે- આપણે ભાગ્યે જ એકબીજા સાથે સમય કાઢી શકીએ છીએ. પરંતુ વધુ સમય તમે એક સાથે વિતાવશો, તમે ખુશ રહેશો. આપણે બંને જીવનને એક સાથે શરૂ કરવામાં ઉત્સાહિત છીએ, પરંતુ સાથે આવ્યા પછી અમે એકબીજાને ખૂબ જ પરેશાન કરીશું. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અલી ફઝલ તેની અપકમિંગ વેબ સીરીજ મિર્જાપુર 2ના કારણે ચર્ચામાં છે. તે સીરીજનું બજેટ એટલું જ છે, જેટલું કોઇ મોટી બિગ બજેટ ફિલ્મ માટે જોવા મળે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.