સંજય દત્તને લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

ફિલ્મી દુનિયા

મુંબઈ,
૬૧ વર્ષીય સંજય દત્તને આઠ ઓગસ્ટના રોજ શ્વાસ લેવામાં તકલીફ થતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયો હતો. સંજય દત્તને આજે એટલે કે ૧૦ ઓગસ્ટના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સંજય હાલ મુંબઈમાં એકલો જ છે. તેની પત્ની માન્યતા અને સંતાનો ઇકરા અને શાહરાન માર્ચ મહિનામાં લાૅકડાઉન જાહેર થયું તે પહેલાના દુબઈમાં જ છે. જાેકે, ફોન કાૅલ અને ફેસટાઈમથી તેઓ સતત એકબીજાના સંપર્કમાં છે. શનિવાર, આઠ ઓગસ્ટના રોજ સંજય દત્ત હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેનો કોરોના એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તે નેગેટિવ આવ્યો હતો.
ત્યારબાદ પીસીઆર માટે સ્વાૅબ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ પ્રમાણે તે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ઓક્સિજન લેવલ ઓછું હતું અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. સંજયે ટિ્‌વટર પર લખ્યું હતું, હું તમને બધાને જણાવવા માગું છું કે હું એકદમ સ્વસ્થ છું. હાલ મેડિકલ દેખરેખ હેઠળ છું અને મારો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. લીલાવતી હોસ્પિટલના ડોકટર્સ, નર્સ અને સ્ટાફની મદદથી હું એક કે બે દિવસમાં ઘરે આવી જઈશ. તમારા બધાની પ્રાર્થના અને આશીર્વાદ માટે આભાર.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.