એક દિવસ તેમના બાળકો પણ આ જ ઈન્ડસ્ટ્રીમાં આવવા માગશે ત્યારે તેઓ શું કરશે?

ફિલ્મી દુનિયા

મુંબઈ,
બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના આકસ્મક નિધન બાદથી સોશિયલ મીડિયામાં નેપોટિઝ્મને લઈ ઉગ્ર ચર્ચાઓ થઈ રહી છે. ૧૪ જૂનના રોજ સુશાંતે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. સુશાંત ડિપ્રેશનમાં હતો અને છેલ્લાં છ મહિનાથી સારવાર કરાવતો હતો. સોશિયલ મીડિયા યુઝર્સ સુશાંતના નિધન માટે સ્ટારકિડ્‌સને જવાબદાર ઠેરવી રહ્યાં છે. તાજેતરમાં ફિલ્મ ડિરેક્ટર હંસલ મહેતાએ નેપોટિઝ્મને લઈ ટ્‌વીટ કરી હતી અને આલિયા ભટ્ટની માતા સોની રાઝદાને નેપોટિઝ્મને લઈ સવાલ કર્યો હતો અને પૂછ્યું હતું કે આજે આ મુદ્દે જારશોરથી ચર્ચા કરતાં લોકોના બાળકો જ્યારે આ ઈન્ડસ્ટ્રીમાં આવવા માગતા હશે ત્યારે તેઓ શું કરશે?હંસલ મહેતાએ એક ટ્‌વીટ કરી હતી, જેમાં તેમણે હતું, ‘નેપોટિઝ્મની ચર્ચા વ્યાપક રીતે કરવી પડશે. મેરિટ સૌથી વધુ મહ¥વ ધરાવે છે.
મારા કારણે મારા દીકરાને જગ્યા મળી અને શા માટે નહીં? જાકે, તે મારા સૌથી સારા કામનો અભિન્ન હિસ્સો રહ્યો છે, કારણ કે તેનામાં ટેલેન્ટ છે, તેનામાં શિસ્ત છે, મહેતન કરે છે અને મારામાં જે મૂલ્યો છે, તે જ તેનામાં છે. માત્ર એટલા માટે નહીં કે તે મારો દીકરો છે. અન્ય એક ટ્‌વીટમાં હંસલ મહેતાએ હતું, ‘તે ફિલ્મ બનાવશે પરંતુ એટલા માટે નહીં કે હું તેને પ્રોડ્યૂસ કરીશ. હું ના પણ કરું પરંતુ તે ફિલ્મ બનાવવા માટે લાયક છે. તેનું કરિયર ત્યારે જ બનશે જ્યારે તે સર્વાઈવ થશે. અંતે તો આ તેના માટે છે. તેણે પોતાની કરિયર જાતે બનાવવાની છે, તેના પિતા તેને કરિયર બનાવીને આપશે નહીં. મારી ઈમેજ તેના માટે સૌથી મોટો ફાયદો તથા સૌથી મોટો પડકાર બનશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.