સૂરજ સાથે લગ્ન પછી મૌની પર થઈ રહ્યું છે બાળક લાવવાનું દબાણ?

ફિલ્મી દુનિયા

મુંબઈ, ફિલ્મ અને ટીવી એક્ટ્રેસ મૌની રોય હાલ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ વનઃ શિવા’ની સફળતામાં રાચી રહી છે. મૌની રોયે આ ફિલ્મમાં જૂનૂન નામનું નેગેટિવ પાત્ર ભજવ્યું છે. મૌની રોયની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. બોક્સ ઓફિસ પર અયાન મુખર્જીના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ સારો દેખાવ કરી રહી છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ફિલ્મમાં લીડ રોલમાં છે. જ્યારે અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને શાહરૂખ ખાન પણ મહત્વના રોલમાં દેખાયા હતા.

હાલમાં જ મૌની રોયે એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેણે સોશિયલ મીડિયા ટ્રોલિંગનો કઈ રીતે સામનો કરે છે તેના વિશે વાત કરી હતી. ઉપરાંત પોતાના અંગત જીવનના પણ કેટલાક રહસ્યો ખોલ્યા હતા. ટ્રોલ્સ વિશે વાત કરતાં મૌનીએ કહ્યું કે, નકામું જ્ઞાન પીરસતા લોકોથી મને કોઈ ફરક નથી પડતો. બોલિવુડ લાઈફ ડોટકોમને આપેલા ઈન્ટરવ્યૂમાં મૌની રોયે પરિણીત સ્ત્રી તરીકેની પોતાની જિંદગી અંગે પણ વાત કરી છે. મૌનીને પૂછવામાં આવ્યું કે, સૂરજ નામ્બિયાર સાથે લગ્ન પછી શું તેને મા બનવા માટે દબાણ કરવામાં આવ્યું રહ્યું છે? જવાબ આપતાં મૌનીએ કહ્યું, “કોઈ મને કશું જ કહેતું નથી. તેઓ સૌ મારા કામને માન આપે છે.

હું જે કરી રહું છું તેના માટે અને અમારા લગ્નજીવનના આઠ મહિનામાં જિંદગી જે રીતે ગોઠવાઈ છે તેના માટે તેમના દિલમાં આદર છે. મૌની રોયે ખુલાસો કર્યો કે તેના સાસુ અને સસરાએ ‘બ્રહ્માસ્ત્ર’ ત્રણવાર જાેઈ છે. મૌની સાસુ-સસરા તેમના અલગ અલગ ફ્રેન્ડ્‌સના ગ્રુપ સાથે આ ફિલ્મ જાેવા ગયા હતા. ફિલ્મ જાેયા બાદ તેમણે મૌનીને અઢળક ચુંબનો મોકલ્યા હતા.

મૌની રોયને પતિ સૂરજ નામ્બિયાર સાથેના એક્ઝોટિક હોલિડે અંગે પણ પૂછવામાં આવ્યું હતું. હોલિડે કોણ પ્લાન કરે છે તેમ પૂછવામાં આવતાં એક્ટ્રેસે કહ્યું- ‘સામાન્ય રીતે હું વેકેશન પ્લાન કરું છું. પરંતુ સૂરજના લીધે તે કેન્સલ થાય છે અને એ પછીના જે વેકેશન હોય છે તે વધુ યાદગાર બની જાય છે.’ ઉલ્લેખનીય છે કે, મૌની રોયે સૂરજ નામ્બિયાર સાથે ૨૭ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ લગ્ન કર્યા હતા. સૂરજ બિઝનેસમેન છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.