કરણ ‘સૂર્યવંશી’માંથી નીકળી ગયો હોવાની વાત ખોટી
મુંબઇ,
બુધવારે સાંજથી સોશિયલ મીડિયા પર એવી અફવાઓ ફરી રહી હતી કે, ફિલ્મ ‘સૂર્યવંશી’માંથી પ્રોડ્યૂસર કરણ જાહર નીકળી ગયો છે. જાકે, ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે જણાવ્યું હતું કે, કરણ હજી આ પ્રોજેક્ટનો એક ભાગ છે. તેમણે ટ્વટર પર લખ્યું હતું કે, ‘મહત્વની વાત..કરણ જાહર ‘સૂર્યવંશી’નો ભાગ હવે રહ્યો નથી એવા થઈ રહેલા ન્યૂઝ ખોટા છે.’
વાસ્તવમાં સુશાંત સિંઘ રાજપૂતના નિધન બાદથી કરણને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. તેના પર બોલિવૂડમાં પરિવારવાદને પ્રોત્સાહન પૂરું પાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. રોહિત શેટ્ટીની ‘સૂર્યવંશી’માં અક્ષય કુમાર મુંબઈ પોલીસની એન્ટ-ટેરરિઝમ સ્ક્વોડના હેડના રોલમાં જાવા મળશે. આ ફિલ્મમાં અજય દેવગન અને રણવીર સિંઘ સ્પેશિયલ અપીયરન્સીસમાં જાવા મળશે.