અન્નુ કપૂરને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા
બોલીવુડ અભિનેતા અન્નુ કપૂરને છાતીમાં દુખાવો થતા સારવાર માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.જેમાં વર્તમાનમાં તેમની હાલત સ્થિર જોવા મળી રહી છે અને રિકવર થઈ રહ્યું છે.આમ જાણિતા અભિનેતા અને સિંગર અન્નૂ કપૂરને 26 જાન્યુઆરીએ સવારે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જેમાં ચેરમેન બોર્ડ ઓફ મેનેજમેન્ટના ડો.અજયના જણાવ્યા મુજબ મિસ્ટર કપૂરને છાતીમાં સમસ્યાના કારણે દાખલ કરવામાં આવ્યા હતા.તેઓ કાર્ડિયોલોજીના ડોક્ટર સુશાંતની સારવાર હેઠળ છે.