અલાદીન ફેમ એક્ટ્રેસ અવનીત કૌરએ છોડ્યો શા, ફેન્સના નામે લખ્યો ભાવુક પત્ર

ફિલ્મી દુનિયા

મુંબઈ,
ટીવી સિરિયલ અલાદીન નામ તો સુના હી હોગામાં યાસ્મનનું પાત્ર ભજવતી એક્ટ્રેસ અવનીત કૌરે આ શા છોડી દીધો છે. અવનીતના શા છોડતા ફેન્સ ઘણા નિરાશ છે. અવનીતે પોતાના ફેન્સ માટે ઇન્સ્ટાગ્રામ પર એક ગુડબાય નોટ લખી ફેન્સનો આભાર માન્યો હતો. અવનીતે ઇન્સ્ટાગ્રામ પર અલાદીનના પોતાના લુક સાથેનો એક ફોટો શેર કરતા લખ્યું કે પોતાના જીવનના અંગને છોડી રહી છું.યાસ્મનનો રોલ હંમેશા મારી નજીક રહેશે. એક એવું કેરેક્ટર જેની શરૂઆત ફેરીટેલ થી અલગ એક વોરિયર પ્રિન્સેસ તરીકે થઇ. આ પાત્રથી હું ઘણું શીખી છું.
ઘોડે સવારી થી માંડીને પોતાના સ્ટન્ટ જાતે કરવા. હું ખરા અર્થમાં એક પ્રિન્સેસ હતી. મારી સફરને આટલી સુંદર બનાવવા માટે સૌકોઈનો આભાર. તમારા પ્રેમ અને સપોર્ટ માટે આભાર. ખબરો મળી રહી છે કે હવે આ શોમાં અવનીતની જગ્યાએ આશી સિંહ યાસ્મીનનો રોલ ભજવશે. આશી સિંહ જાણીતા ટીવી શો યે ઉન દીનો કી બાત હૈ થી જાણીતી થઇ હતી. અવનીત શો કેમ છોડી રહી છે તેનો ખુલાસો નથી થયો. અવનીત એક જાણીતી ટીવી સેલિબ્રિટી છે. અવનીત ટિક્ટોક પર પણ ઘણી પ્રચલિત છે. અવનીતે ઘણા જાણીતા ટીવી શોમાં પણ કામ કર્યું છે જેમાં, ચંદ્ર નંદિની, મેરી માં, હમારી સિસ્ટર દીદી, એક મીઠી મુસ્કાન, ઝલક દિખલા જા-૫, ડાન્સ કે સુપર સ્ટાર્સ સામેલ છે. અવનિત ફિલ્મ મર્દાની-૨માં પણ જાવા મળી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.