રજનીકાંતની નવી ફિલ્મના ફર્સ્ટ લુક પોસ્ટર પર બકરીની બલી ચઢાવી લોહી ચઢાવ્યું

ફિલ્મી દુનિયા

મંગળવારે સુપરસ્ટાર રજનીકાંતની આગામી ફિલ્મ ‘અન્નાથે’ના ફર્સ્ટ લૂક પોસ્ટર પર રજનીકાંતના ચાહકો દ્વારા કથિત કૃત્ય કરાયું હતું. રજનીકાંતના પોસ્ટર પર બકરીના લોહીનો છંટકાવ કરાયો હતો. જેને લઈ રજનીકાંતે ઠપકો આપ્યો હતો અને આ કૃત્યને અપમાનજનક ગણાવ્યું હતું.

ઓલ ઇન્ડિયા રજનીકાંત રસિકર મંડ્રામ (ફેન્સ ક્લબ)ના વહીવટદાર અને સ્ટારના નજીકના ગણાતા વી.એમ. સુધાકરે આ ઘટનાની સખત નિંદા કરી હતી અને કહ્યું કે આ કૃત્ય “ખેદજનક” છે.

સોશિયલ મીડિયામાં એક વિડીયો કથિત રૂપે વાયરલ થયો છે. જેમાં કેટલાક કથિત રીતે મનાતા રજનીકાંતના ચાહકો એક બકરીને મારીને તેનું લોહી ફિલ્મના ફર્સ્ટ લૂક પોસ્ટર પર છાંટતા હતા જેને લઇ આ વિડીયોમાં થઈ રહેલી નિર્દયતા અંગે વ્યાપક નિંદા કરવામાં આવી હતી.

તમિલનાડુમાં, રજનીકાંત જેવા ટોચના સ્ટાર્સના ચાહકો માટે તેમના મનપસંદ નાયકોના કટઆઉટ્સ પર દૂધ રેડવું સામાન્ય બાબત છે, જેને ‘પલાબિશેકમ’ કહેવામાં આવે છે, જે ભગવાન માટે મંદિરોમાં કરવામાં આવે છે, પરંતુ આવી ઘટના સાંભળવામાં આવી ન હતી. વાયરલ વીડિયોનો ઉલ્લેખ કરતા સુધાકરે એક નિવેદનમાં કહ્યું કે આ માત્ર ખેદજનક જ નથી, પણ સખત નિંદનીય પણ છે અને સાથે જ તેમણે વિનંતી કરતાં કહ્યું કે કોઈએ આવા અપ્રિય કૃત્યોમાં સામેલ ન થવું જોઈએ.

નિર્દેશક શિવા દ્વારા નિર્દેશિત કરાયેલ અને એક્શન ફિલ્મ ‘અન્નાથે’ 4 નવેમ્બરના રોજ દિવાળી પર રિલીઝ થવાની છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.