સલમાનની ફિલ્મ રાધે ૨૦૨૧માં ગણતંત્ર દિવસ પર રિલિઝ થાય તેવી શક્યતા

ફિલ્મી દુનિયા

મુંબઇ,
બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનની ફિલ્મોની રાહ તેના ચાહકો જાેતા હોય છે. સલમાન દર વર્ષે ઈદ પર એક શાનદાર ફિલ્મ લઈને આવે છે. આ વર્ષે સલમાન ખાન ચાહકોને આ ઈદ પર રાધે ફિલ્મની ભેટ આપવાનો હતો. પરંતુ કોરોના વાયરસના કારણે એ સંભવ ન થઈ શક્્યું. જેના પછી એવા સમાચાર હતા કે ફિલ્મ દિવાળીના સમયમાં રીલિઝ થશે.
હવે સલમાનખાનની ફિલ્મ રાધેને લઈને નવા સમાચાર મળી રહ્યા છે કે આ ફિલ્મ ૨૦૨૧માં ગણતંત્ર દિવસની આસપાસ રિલીઝ થઈ શકે છે. મળતી માહિતી મુજબ આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મનું લગભગ ૧૦ દિવસનું શુટિંગ બાકી છે. હવે ફિલ્મમાં એક ગીત પણ એડ કરવામાં આવી છે. સલમાનખાન ઓક્ટોબર કે નવેમ્બરમાં શુટિંગ કરશે.
આ ફિલ્મને સિનેમાઘરમાં જ રિલીઝ કરવામાં આવશે. એટલા માટે નિર્માતા કોઈ પણ ઉતાવળ નહીં કરતા. એટલા માટે હવે આવતા વર્ષે જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં આ ફિલ્મને રિલીઝ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. જાે એવું ના બની શકે તો ૨૦૨૧માં ઈદ પર રિલીઝ કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.