લાકડાઉનમાં અક્ષય કુમારે દેશવાસીઓને કહ્યુ- કયારેક કયારેક આમ જ બેસી રહેવુ બરાબર છે
મુંબઈ
કાવિડ-૧૯થી નિપટવા માટે બાલીવુડ અભિનેતા અક્ષય કુમારે ફેન્સને એક ખાસ સલાહ આપી છે, જે હાલ ખુબ વયારલ થઇ રહી છે. અક્ષયે ઇન્સ્ટાગ્રામ પર એક જુની તસવીર શેર કરી છે, જેમાં કેટલીક તસવીર સલાહ આપી છે, અક્ષય કુમાર ખુરશી પર બેઠેલો જાવા મળે છે. આ તસવીરની સાથે હાલની સ્થતિ તરફ ઇશારો કરતા તેમને લખ્યું- કયારેક કયારેક આમ જ બેસી રહેવુ બરાબર છે, આ સમય પણ ચાલ્યો જશે. તેને પોતાની આ તસવીરને ઇન્સ્ટાગ્રામ પર પોતાની પ્રાફાઇલ પિક્ચર બનાવી છે. તસવીરમાં અક્ષય કુમાર ટ્રાઉઝર, ગુલબી રંગની ટી-શર્ટ અને બ્લૂ શૂઝ પહેરીને ખુરશી પર બેસેલો દેખાઇ રહ્યો છે, આની સાથે તેને ચશ્મા પણ પહેર્યા છે. આ પહેલા કોરોના સામેના જંગમાં લડવા માટે અક્ષય કુમાર પીએમ કેયર્સ ફંડમાં ૨૫ કરોડ રૂપિયાનુ દાન કર્યુ છે. ઉપરાંત મુંબઇ પોલીસને પણ બે કરોડની મદદ કરી છે.