ભોજપુરી અભિનેત્રી અનુપમા પાઠકે કરી આત્મહત્યા

ફિલ્મી દુનિયા

મુંબઈ,
ગત કેટલાક મહિનામાં ઘણા કલાકારોએ આત્મહત્યા કરીને પોતાનો જીવ ગુમાવી દીધો છે. આ ક્રમમાં હવે ભોજપુરી અભિનેત્રી અનુપમા પાઠકની આત્મહત્યા કરવાની ખબર સામે આવી છે. અભિનેત્રીએ મુંબઇ સ્થિત તેના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. મુંબઇના દહિસર સ્થિત ઘરમાં તે ગળે ફાંસો ખાધો હતો. ૪૦ વર્ષીય અભિનેત્રી દ્રારા આત્મહત્યા કરવાની ખબર ચોંકાવનારી છે. તે તેની મોતના એક દિવસ પહેલા જ સોશિયલ મીડિયા પર લાઇવ આવી અને ફેન્સ સાથે વાત કરી હતી. તેના ફેસબુક લાઇવમાં અનુપમાએ લોકોની સામે તેના દિલની વાત કહી હતી. તેણે તેના ફેસબુક લાઇવમાં કે કોઇની પર પણ વિશ્વાસ કરવો જાેઇએ નહીં. સાથે જે તેણે તેના વીડિયોમાં આ વાત પણ કહી કે કેવી રીતે તેની સાથે દગો કરવામાં આવ્યો. મળતી માહિતી માહિતી મુજબ અનુપમાના ફ્લેટથી એક સુસાઇડ નોટ પણ મળી છે. જેમા તેણે આત્મહત્યા કરવાના બે કારણ જણાવ્યા છે.
તેણે આ સુસાઇડ નોટમાં લખ્યું, મેં એક મિત્રની રિક્વેસ્ટ પર મલાડની વિસડમ પ્રોડ્યુસર કંપનીમાં ૧૦ હજાર રૂપિયા રોકાણ કર્યા હતા. કંપનીએ મારા પૈસા ડિસેમ્બર ૨૦૧૯માં પરત કરવાના હતા. જાેકે, કંપની મારા પૈસા પરત આપવામાં આનાકાની કરી રહી છે. તેણે તેની સુસાઇડ નોટમાં મનીષ ઝા નામના એક વ્યક્તિનો ઉલ્લેખ પણ કર્યો છે. અનુપમાએ તેની સુસાઇડ નોટમાં કે કેવી રીતે મનીષ ઝાએ લોકડાઉનમાં તેની પાસેથી તેનું ટૂ વ્હીલર લઇ લીધુ હતુ અને પરત કરવાથી ઇન્કાર કરી દીધો હતો. અનુપમાથી છેલ્લી ફેસબુક પોસ્ટમાં તેણે રાત ૧૨ વાગ્યે બાય-બાય અને ગુડનાઇટ લખ્યું છે. તેણે ફેસબુક પોસ્ટમાં અનુપમાને કે તે સામાન્ય રીતે ફેસબુક પર લાઇવ આવતી નથી પરંતુ આજે તે કેટલીક વાતો શેર કરવામ આવી છે. તેણે કે જ્યારે કોઇની મોત થઇ જાય છે તો લોકો ખૂબ વાતો કરે છે. જાે તે કઇ કહેતા તો તેનો ઉકેલ લાવવામાં આવતો. પરંતુ આ બધી કહેવાની વાત છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.