‘અપરાજિત અયોધ્યા’માં કંગના દર્શાવશે શ્રી રામ મંદિરની ૬૦૦ વર્ષની યાત્રા

ફિલ્મી દુનિયા

મુંબઇ,
કંગના રનૌતે તાજેતરમાં જ રામ મંદીર ભૂમિપૂજનના અવસરે એક મુલાકાતમાં આ મેગા ઇવેન્ટ વિશે વાત કરી હતી તેમાં તેણે હતું કે કેવી રીતે તેની ફિલ્મ અપરાજિતા અયોધ્યામા રામ મંદીરની છેલ્લા ૬૦૦ વર્ષની સફરનું વર્ણન કરવામાં આવશે. ભારતીયો માટે આ મોટો દિવસ છે કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદીરના શિલાન્યાસ માટે અયોધ્યા પહોંચ્યા હતા. ઘણા દાયકાઓથી ચાલી રહેલી લડાઈનું આ ફળ છે. તેમા દેશ અને દેશવાસીઓનો ખુશીનો માહોલ દેખાય છે.
હવે કંગના રનૌતે પણ આ ઐતિહાસિક પળ અંગે વાત કરી છે. જેમાં તે વાસ્તવમાં ભારતના ઇતિહાસમાં મંદીર અંગે ઘટેલી સત્યઘટનાઓના મૂળ સુધી પહોંચશે. કંગનાએ હતું કે રામ મંદીર એક મંદીર માત્ર નથી પરંતુ એક ભાવના છે. મારા માટે અયોધ્યા એક પ્રતિકાત્મક છે છેલ્લા ૫૦૦-૬૦૦ વર્ષથી આ સફર આપણી પાસે એક સભ્યતાની ધરોહર છે. મારા માટે આ બાબત ઘણી રોમાંચક છે. આભાર – નિહારીકા રવિયા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.