પર્સમાં આ 4 વસ્તુઓ રાખતા હશો તો થઈ જશો કંગાળ

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

સારો પગાર કે મોટી કમાણી હોવા છતાં પણ ઘણીવાર અમુક લોકોના ખિસ્સા હંમેશા ખાલી રહે છે. તેમનું બેંક-બેલેન્સ હંમેશા ખાલી રહે છે. આ પાછળનું કારણ શું છે? જ્યોતિષ પ્રમાણે કેટલાક લોકો જાણ્યે-અજાણ્યે એવી અશુભ વસ્તુઓ પોતાના પર્સમાં રાખે છે જેના કારણે તેમના પર નકારાત્મક ઊર્જાનું દબાણ વધી જાય છે. આ જ કારણ છે કે આ લોકોના ખિસ્સા હંમેશા ખાલી રહે છે. જ્યોતિષાચાર્યએ એવી 5 વસ્તુઓ વિશે જણાવ્યું છે, જે પર્સમાં રાખવામાં આવતા આર્થિક સંકટ ઘેરી લે છે.

પર્સમાં પૂર્વજોની તસવીરો ના રાખો

જ્યોતિષ પ્રમાણે, ક્યારેય પણ બિલ કે EMI પેપર જેવી વસ્તુઓ આપણા પર્સમાં ન રાખવી જોઈએ. ફોનનું બિલ, વીજળીનું બિલ કે ઘરના ખર્ચની યાદી પણ પર્સમાં ન રાખો. જો આપણે તેને કચરાના રૂપમાં જોઈએ તો તે રાહુનું સ્વરૂપ છે જે બિનજરૂરી ખર્ચમાં વધારો કરે છે. કેટલાક લોકો પોતાના પર્સમાં પોતાના પૂર્વજોની તસવીરો રાખે છે. જ્યોતિષાચાર્ય કહે છે કે, પૂર્વજોનું સન્માન ખૂબ જ જરૂરી છે. તેમના આશીર્વાદ વિના આપણે જીવનમાં આર્થિક સમૃદ્ધિની કલ્પના પણ કરી શકતા નથી. પરંતુ તેમની તસવીરો પર્સમાં રાખવી યોગ્ય નથી. તેમને પર્સની જગ્યાએ ઘરમાં યોગ્ય સ્થાન આપો. જો તમે તેને ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં સ્થાપિત કરો તો સારું રહેશે.

પર્સમાં ચાવી ના રાખો

કેટલાક લોકો પોતાના પર્સમાં દેવી-દેવતાઓના ચિત્રો લઈને ફરતા હોય છે. આવું કરવું બિલકુલ યોગ્ય નથી. આવું કરવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે. પર્સને બદલે ઘર અને મનમાં દેવી-દેવતાઓને સ્થાન આપો. કેટલાક લોકો ચાવી પોતાના પર્સમાં રાખે છે, જે યોગ્ય નથી. પર્સમાં ચાવી રાખવાથી વેપાર અને પૈસામાં નુકસાન થાય છે. વાસ્તુ અનુસાર પર્સમાં સિક્કા સિવાય અન્ય કોઈપણ ધાતુ રાખવાથી નકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે અને દેવી લક્ષ્મી નારાજ થાય છે. તેથી ચાવીઓ રાખવા માટે યોગ્ય જગ્યા બનાવો.

પૈસાને વાળીને રાખવાની આદત ખરાબ

પર્સમાં ક્યારેય અવ્યવસ્થિત રીતે પૈસા ન રાખો. નોટોને ખાલી ફોલ્ડ કરીને પર્સમાં રાખવાને બદલે તેને સારી રીતે ગણીને અને વ્યવસ્થિત રીતે પર્સમાં રાખો. તમારે હંમેશા ખબર હોવી જોઈએ કે તમારા પર્સમાં કેટલા પૈસા છે. પૈસાને વાળીને રાખવાની ખરાબ આદત આપણને આર્થિક મોરચે નબળા બનાવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.