લાગણીના અંકુર ફુટે ત્યારે માણસાઈ મહેંકે છે
વરસાદના ચાર છાંટા પડે કે ધરતીની ભીની માટી મહેંકી ઉઠે છે, સુકીભઠ્ઠ દેખાતી ધરતી ઉપર લીલાંછમ તરણાં ફુટે છે. જાણે કોઈ સુકોમળ કન્યાએ લીલી ઓઢણી ઓઢી હોય તેમ ખીલી ઉઠે છે. કળીઓમાંથી કુસુમ બનીને ફુલો પોતાની સુગંધનો પમરાટ ફેલાવે છે. પક્ષીઓ મધુર સ્વરમાં ગાન કરીને વગડાને ગજવી મુકે છે, સંવેદનશીલ સાહીત્યકારો આ ઘટનાને પરમાત્માની આપણા ઉપરની લાગણીનાં અંકુર તરીકે જુએ છે.
પ્રકૃતિ અને પુરૂષ, એકબીજાનાં પુરક બને છે. પુરૂષ દ્વારા રક્ષાયેલી અને સંવર્ધિત થયેલી પ્રકૃતિ પણ પુરૂષને ગોદમાં લઈને તેનું લાલન પાલન કરે છે. આ બધાં લાગણીનાં તંતુઓથી જાેડાયેલાં છે.
જાે કુદરત પોતે પાપી કે પુણ્યશાળી એવા આપણે પાડેલા ભાગલા ભુલીને બધાને એકસરખો સૂર્યપ્રકાશ, એકસરખી ચંદ્રની શીતળ ચાંદની એકસરખો વરસાદ, ઠંડી, ગરમી હવા કે પોષણક્ષમ અનાજ આપે છે તો પછી આપણે આવા ભાગલા પાડીને કોઈની પ્રત્યે રાગ અને કોઈની પ્રત્યે દ્વેષ કેવી રીતે કરી શકીએ ?રાગ અને દ્વેષથી પર થઈને આ સૃષ્ટી ઉપર વિચરતા દરેક જીવધારીને મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો એ જ પરોપકાર છે એ જ સાચો માનવધર્મ છે.
જ્યારે આપણે આ રીતે ‘સર્વજન હિતાય અવેજન સુખાય’ ઉક્તિ મુજબ કામ કરવાનું શરૂ કરીશું ત્યારે કદાચ કોઈનો સહકાર મળે કે ના મળે, કોઈ ટીકા કરે કે પ્રશંસા કરે તેવું કશું જ વિચાર્યા વગર આપણે આપણા કામમાં મસ્ત રહીશું. બીજાઓને મદદરૂપ થવું એ જ આપણો જીવનમંત્ર હોવો જાેઈએ તેમ વિચારીને વર્તીશું.
હિંદી સાહિત્યના મુર્ધન્ય સાહિત્યકાર મુન્શી પ્રેમચંદજીના સર્જનને વાંચીએ તો હીરા અને મોતી નામના બે બળદો બે ચાર વરસ સાથે રહેતા હોવાથી એકબીજાના સુખ દુઃખને સમજીને એકબીજાને મદદરૂપ થવા પ્રયત્ન કરે છે તેવી વાત કરી છે. આપણે તો બુધ્ધિશાળી માણસ છીએ તો આપણી જવાબદારી તો કાંઈક વિશેષ છે. થોડો સમય સાથે રહેનારાઓની લાગણીઓ સમજીને તેમના જીવનની સુખ દુઃખની ઘટનાઓ પ્રસંગ તેમને મદદગાર થવાનું છે.
પરોપકારનો અર્થ છેજે મોતિયાબિંદના જોખમને ઓછું કરે છે.
• ઓફ્થેલ્મોલોજિસ્ટ્સની ઉણપઃ આ સંકટના મુખ્ય કારણોમાંથી એક ઓફ્થેલ્મોલોજિસ્ટોની ઉણપ છે. ભારતમાં અનુમાનિત ૧૫,૦૦૦ઓફ્થોલ્મોજિસ્ટ છે, જે દર ૨૦,૦૦૦ની વસ્તી દીઠ ૧ ઓફ્થોલ્મોલોજિસ્ટના વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના શિસ્તબદ્ધ ગુણોત્તરની સરખામણીમાં ખૂબ જ ઓછો છે.
જો સમય પર સારવાર કરવામાં આવે તો મોતિયાબિંદને ઠીક કરી શકાય છે અને આ સમસ્યાના નિદાનમાં ભારતનો ટ્રેક રેકોર્ડ પાછલા વીસ વર્ષોમાં સુધર્યો છે. નવી તથા વધુ પ્રભાવશાળી સારવાર આ બીમારીથી પીડિત દર્દીઓને આશાનું નવું કિરણ આપે છએ, કારણ કે સર્જરીમાં થોડો જ સમય લાગે છે અને રિકવરીનો સમય પણ ખૂબ જ ઓછો છે.