તુવેર અને અડદ દાળના ભાવ વધ્યા

Business
Business

છેલ્લા દોઢ મહિનામાં તુવેર દાળ અને અડદ દાળની કિંમતોમાં 15 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.જેમાં વધુ વરસાદથી ખેતરોમાં પાણી ભરાઇ જવાથી કઠોળના ખરીફ વાવેતરને નુકસાન થવાની ચિંતાએ ભાવ વધી રહ્યા છે.આ ઉપરાંત ચાલુ ખરીફ સીઝનમાં કઠોળના વાવેતરમાં ઘટાડો અને ઓછો કેરી ફોરવર્ડ સ્ટોકે ભાવમાં ઝડપી ઉછાળાને ટેકો આપ્યો છે.જેમાં મહારાષ્ટ્રના લાતૂરમાં સારી ગુણવત્તાવાળી તુવેરદાળના એક્સ મિલ ભાવ છ સપ્તાહ પહેલાના રૂ.97થી વધીને રૂ.115 પ્રતિ કિગ્રા થઇ ગયા છે.આમ અતિશય વરસાદથી અડદના પાકને વધુ નુકસાન થવાની સંભાવના છે,જ્યારે બીજીબાજુ આયાત વધવાની અપેક્ષા છે.મહારષ્ટ્ર,કર્ણાટક અને ગુજરાતમાં અડદના પાકને થોડુંક નુકસાન થયુ છે,પરંતુ સૌથી મોટા અને બીજા સૌથી મોટા ઉત્પાદક મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમા પાક સારી સ્થિતિમાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.